BAMCEF UNIFICATION CONFERENCE 7

Published on 10 Mar 2013 ALL INDIA BAMCEF UNIFICATION CONFERENCE HELD AT Dr.B. R. AMBEDKAR BHAVAN,DADAR,MUMBAI ON 2ND AND 3RD MARCH 2013. Mr.PALASH BISWAS (JOURNALIST -KOLKATA) DELIVERING HER SPEECH. http://www.youtube.com/watch?v=oLL-n6MrcoM http://youtu.be/oLL-n6MrcoM

Friday, July 31, 2015

ઇરાક અને સિરિયામાં આતંક મચાવ્યા બાદ ISISની નજર ભારત પર

 ઇરાક અને સિરિયામાં આતંક મચાવ્યા બાદ ISISની નજર ભારત પર
દુનિયાભરમાં ખુન-ખારાબા અને ખૌફનો આતંક ફેલાવનાર અબૂ બક્ર અલ બગદાદીના ટાર્ગેટ પર હવે ભારત છે. ISIS હવે ભારતમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાં છે. અંગ્રેજી અખબાર 'મેલ ટુડે'એ ખુલાસો કરતા જણાવ્યું છે કે આતંકવાદી સંગઠન ભારત અને વિદેશમાં રહેતા મુસ્લિમોને જેહાદ અને પૈસાની લાલચ આપીને આતંકવાદી બનાવી રહ્યાં છે. ભારતમાં બગદાદી ઉભી કરી રહ્યો છે મોટી ફૌજ ઇસ્લામને ન માનનારા લોકોને નાસ્તિક ગણાવી તેમનું સર કલમ કરનાર બગદાદીનું ખાસ મનોરંજનુ સાધન છે. પરંતુ ભારતમાં ખુન-ખરાબા કરવા માટે બગદાદી સિરિયા અને ઇરાકથી પોતાના લડવૈયા નહી મોકલે પરંતુ ભારતના જ લોકોને ઉશ્કેરી પોતાના માટે મોટી ફૌજ તૈયાર કરવાનું કાવતરૂ ઘડી રહ્યો છે. તે ભારતના યુવાનોને ફોસલાવીને આતંકના રસ્તે ઘકેલવાની ફિરાકમાં છે. આવી રીતે ISIS ભારતમાં ફેલાવી રહ્યો છે નેટવર્ક ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ગત વર્ષે તેલંગણાના લગભગ 17 યુવાનોની અટકાયત કરી હતી જે તુર્કી થઇને સિરિયા જઇને ISISમાં જોડાવવાની ફિરાકમાં હતા. આ યુવાનોમાંથી એક હૈદરાબાદ નિવાસી યુવાન મુસૈબએ (નામ બદલ્યું છે) 'મેલ ટુડે'ને આપેલા ઇન્ટરવ્યૂવમાં જણાવ્યું કે ભારતમાં ISISના બે સંચાલક ગુજરાતના રહેવાસી છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાનમાં રહેતા કેટલાક ભારતીય પણ આતંકવાદી સંગઠનમાં જોડાવવા માટે મુસ્લિમ યુવાનોનું બ્રેન વોશ કરી રહ્યાં છે. તેમાથી એક હતો ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી સુલતાન અરમર શાહ, જે ISIS તરફ લડતા માર્યો ગયો. મુસૈબ અને તેના ત્રણ અન્ય મિત્રોએ જણાવ્યું કે કેવી રીતે ઇન્ટરનેટ થકી આતંકવાદીઓ યુવાનોનો સંપર્ક કરે છે અને તેમને સિરિયા પહોંચાડવાનો બંદોબસ્ત પણ કરે છે. તેમણે જણાવ્યું કે તેમણે દુબઇથઇ 53 હજાર રૂપિયા અને યુનાઇટેડ કિંગડમથી એક લાખ રૂપિયા મોકલાવ્યા હતા. ISISના 70-75 કાર્યકર્તા પર ઇન્ટેલિજન્સની બાજ નજર ISISના દરેક ટ્વીટર એકાઉન્ટની જાણ ઇન્ટેલિજન્સને જાણ છે અને તેના પર બાજ નજર પણ છે. જો કે તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ સુત્રો અનુસાર દિલ્હી, સૂરત અને જમ્મુ-કાશ્મીરના કેટલાક અલગાવવાદિઓ પર તેમની ચાંપતી નજર છે. વળી ઇન્ડિયન મુજાહિદ્દીનના પણ કેટલાય આતંકવાદી ISISના આતંકવાદીઓના સંપર્કમાં છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ISISના આતંકવાદીઓ ભારતમાં ઘૂષણખોરી કરી હોવાના સમચાર મળ્યા છે. તેમાં તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્રસ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, જમ્મુ-કાશ્મીર અને તામિલનાડુ અત્યંત સંવેદનશીલ છે.

--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...